Menu
રાજકોટ સિવિલ હોસ્પિટલનો મુખ્ય ગેટ 8-10 દિવસમાં ખુલ્લો રહેશે
રાજકોટ સિવિલ હોસ્પિટલનો મુખ્ય ગેટ 8-10 દિવસમાં ખુલ્લો રહેશે
Published on: 05th June, 2025

રાજકોટ સિવિલ હોસ્પિટલનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સામે આવેલો મુખ્ય ગેટ ઘણા સમયથી બંધ છે, જેના કારણે રોજ 1500થી વધુ દર્દીઓ અને એમ્બ્યુલન્સને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઇમરજન્સી અને OPD જેવા વિભાગો આ ગેટની નજીક હોવા છતાં આજ સુધી આ ગેટ ખુલ્લો નથી. દર્દીઓ તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે, આગામી 8-10 દિવસમાં આ ગેટનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી તે ખુલ્લું કરી દેવામાં આવશે, જેથી દર્દીઓની હાલાકી દૂરી જશે.