ચોમાસામાં મચ્છરજન્ય રોગો અટકાવવા આરોગ્ય ટીમ દ્વારા 2.94 લાખ પાણીના પાત્રોની તપાસ
ચોમાસામાં મચ્છરજન્ય રોગો અટકાવવા આરોગ્ય ટીમ દ્વારા 2.94 લાખ પાણીના પાત્રોની તપાસ
Published on: 17th July, 2026

ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોને ફેલાતા અટકાવવા માટે પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગે સઘન ઝુંબેશ હાથ ધરી હતી. 242 ટીમો દ્વારા 1 થી 10 જુલાઈ દરમિયાન 2.94 લાખથી વધુ પાણીના પાત્રો તપાસવામાં આવ્યા. આ તપાસ દરમિયાન 537 જગ્યાએ મચ્છરોના લાર્વા (પોરા) મળી આવતા તાત્કાલિક એબેટ કેમિકલનો ઉપયોગ કરીને તેનો નાશ કરવામાં આવ્યો. આ ઝુંબેશ દ્વારા 6.89 લાખથી વધુ વસ્તીને આવરી લેવાઈ હતી અને 1.57 લાખથી વધુ ઘરોની મુલાકાત લેવાઈ હતી.