Menu
ચાંદીપુરમ વાયરસ સામે પંચમહાલ તંત્ર સજ્જ: 595 ગામોમાં ડસ્ટિંગ, 250 ટીમો કાર્યરત
ચાંદીપુરમ વાયરસ સામે પંચમહાલ તંત્ર સજ્જ: 595 ગામોમાં ડસ્ટિંગ, 250 ટીમો કાર્યરત
Published on: 09th June, 2025

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના નિયંત્રણ માટે આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે. ગત વર્ષે અહીં 16 કેસ નોંધાયા હતા, જેમાં 7 બાળકોનું મોત થયું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગ્રામીત અનુસાર, 595 ગ્રામ્ય વિસ્તારોમાં તબક્કાવાર ડસ્ટિંગ કામગીરી ચાલી રહી છે અને 52 પીએચસી સેન્ટરો પર 250 ટીમો કાર્યરત છે. આશા, ફીમેલ હેલ્થ અને મલ્ટિપર્પઝ વર્કર્સ દ્વારા સર્વે અને સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે. પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં પણ આ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.