આયુર્વેદિક ઉપચારથી રેર મોયા-મોયા બીમારીગ્રસ્ત યુવક ચાલતો થયો.
આયુર્વેદિક ઉપચારથી રેર મોયા-મોયા બીમારીગ્રસ્ત યુવક ચાલતો થયો.
Published on: 09th May, 2026

ગાંધીનગરમાં મોયા-મોયા જેવી દુર્લભ બીમારીથી પીડિત યુવક આયુર્વેદિક ચિકિત્સાથી સ્વસ્થ થયો છે. આઠ વર્ષથી પથારીવશ રહેલા યુવકે લાખો રૂપિયાના ખર્ચાળ ઉપચારો બાદ સેક્ટર-22 સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં રાહત મેળવી. વૈદ્ય રાકેશ ભટ્ટની 35 દિવસની સારવાર બાદ દર્દી ફરી ચાલવા લાગ્યો. આ બીમારીમાં મગજને લોહી પહોંચાડતી નળીઓ બ્લોક થવાથી સ્ટ્રોક અને લકવા જેવા લક્ષણો જોવા મળે છે.