એર એમ્બ્યુલન્સ, ગ્રીન કોરિડોરની મદદથી 82 જિંદગીઓ બચી
એર એમ્બ્યુલન્સ, ગ્રીન કોરિડોરની મદદથી 82 જિંદગીઓ બચી
Published on: 18th April, 2026

ગુજરાત સરકાર અને GVK-EMRI દ્વારા સંચાલિત 108 એર એમ્બ્યુલન્સ સેવા છેલ્લા ચાર વર્ષમાં ગંભીર દર્દીઓ અને અંગ પ્રત્યારોપણ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અત્યાર સુધીમાં ૪૬ અંગો અને ૩૬ વ્યક્તિઓને સમયસર એર લિફ્ટ કરી નવજીવન આપવામાં આવ્યું છે, જેમાં સુરતથી અમદાવાદ સૌથી વધુ ૨૨ અંગો પહોંચાડાયા છે. આઈસીયુ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતી આ સેવાએ કલાકોની મુસાફરી મિનિટોમાં કાપીને ૮૨ થી વધુ દર્દીઓની જિંદગી બચાવી છે, જ્યારે ૭૭૪ લોકોને બોટ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી છે.