Menu
જૂનાગઢમાં રક્તદાન શિબિરોમાં ૧૧૦ યુનિટ રક્ત એકત્રિત
જૂનાગઢમાં રક્તદાન શિબિરોમાં ૧૧૦ યુનિટ રક્ત એકત્રિત
Published on: 13th May, 2025

જૂનાગઢ જિલ્લાના કલેક્ટર કચેરી અને અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ ૧૧૦ યુનિટ રક્ત એકત્રિત થયું હતું. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. તેમના માર્ગદર્શન હેઠળ તાલુકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધી, તેમજ લાઇફલાઇન બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ્સ યોજાયા. એકત્રિત રક્ત થેલેસેમિયા દર્દી અને જોખમી ગર્ભવતી મહિલાઓની સારવાર માટે ઉપયોગી બનશે. કલેક્ટરે દાતાઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહન આપ્યું અને ભવિષ્યમાં પણ આવા શિબિરોની અપેક્ષા દર્શાવી.