ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ.
ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ.
Published on: 11th April, 2026

ભાવનગરથી હરિદ્વાર વચ્ચે રવિવારથી નવી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ થશે. આ ટ્રેન ટીઓડી હેઠળ વિશેષ ભાડા સાથે દોડશે. એપ્રિલ અને મે મહિનામાં આ ટ્રેનના આઠ-આઠ ફેરા થશે, જે હરિદ્વાર અને કેદારનાથ જતા યાત્રિકો માટે લાભદાયી રહેશે. આ ટ્રેન ઉનાળાની રજાઓમાં યાત્રિકોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.