Menu
વટ સાવિત્રી વ્રતની સોમનાથમાં ભવ્ય ઉજવણી
વટ સાવિત્રી વ્રતની સોમનાથમાં ભવ્ય ઉજવણી
Published on: 10th June, 2025

સોમનાથ પ્રભાસ પાટણમાં પ્રાચીન વટવૃક્ષ પાસે વટ સાવિત્રી વ્રતની ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી. સવારથી મહિલાઓએ ફૂલ, પાન, અબીલ, ગુલાલ અને ફળોથી વટવૃક્ષની પૂજા કરી હતી. તેમણે તાંબાના કલશ સાથે પ્રદક્ષિણા કરી, સૂતરના દોરથી વૃક્ષને વીંટાળ્યું અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. વ્રત દરમિયાન ઉપવાસ કરવા માં આવ્યો હતો અને મહિલાઓ નવા વસ્ત્રો ધારણ કર્યા હતા હતી. સોમપુરા તીર્થ પુરોહિતે જણાવ્યું કે આ વ્રત ખાસ કરીને હિન્દુ પંચાંગ પ્રમાણે જ્યેષ્ઠ મહિનોની પૂર્ણિમા પર માન્ય છે અને પતિના આયુષ્ય માટે મહત્વપૂર્વક ગણાય છે.