કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં 20 કાળિયાર મુક્ત કરાયા
કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં 20 કાળિયાર મુક્ત કરાયા
Published on: 16th August, 2026

ભારતના 80મા સ્વતંત્રતા દિવસે, વનતારા અને ગુજરાત વન વિભાગે કચ્છના બન્ની ઘાસના મેદાનમાં 20 કાળિયાર મુક્ત કર્યા છે. આ ઐતિહાસિક પગલું 'ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર' (GZRRC - વનતારા) ના ટેકનિકલ સપોર્ટથી લેવાયું છે. 5 નર અને 15 માદા કાળિયારને જામનગર સ્થિત વનતારા કેન્દ્રમાંથી તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરીને અહીં લાવવામાં આવ્યા હતા. આ પહેલથી બન્નીની કુદરતી પર્યાવરણીય વ્યવસ્થા મજબૂત થશે અને ઇકોસિસ્ટમ સમૃદ્ધ બનશે.