કાલાવડ તાલુકાના જીવાપરમાં જંતુનાશક દવાની અસરથી ખેડૂતનું અકસ્માતે મૃત્યુ
કાલાવડ તાલુકાના જીવાપરમાં જંતુનાશક દવાની અસરથી ખેડૂતનું અકસ્માતે મૃત્યુ
Published on: 16th August, 2026

જામનગરના કાલાવડ તાલુકાના જીવાપર ગામમાં કપાસના પાકમાં 'પ્રોફેનો ફોર્સ' નામની જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી અસર થતાં ગીરધરભાઇ વેલજીભાઇ ફળદુ (ઉ.વ.45) ની તબિયત લથડી હતી. તેઓ બેભાન થઈ જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેમના પિતાએ કાલાવડ ટાઉન પોલીસમાં જાણ કરતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ એ.ડી. નોંધવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે.