વઢવાણના પ્રકાશભાઈ મકવાણાનું માર્ગ અકસ્માતમાં મોત.
વઢવાણના પ્રકાશભાઈ મકવાણાનું માર્ગ અકસ્માતમાં મોત.
Published on: 11th May, 2026

સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં રહેતા પ્રકાશભાઈ નરોતમભાઈ મકવાણાનું 9 મે, 2026ના રોજ માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું . તેમના પરિવારે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તેમની બંને આંખોનું ચક્ષુદાન કર્યું હતું. પ્રકાશભાઈની સ્મૃતિમાં અને તેમના આત્મશ્રેયાર્થે 10 મે, 2026ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વઢવાણ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે લાઈફલાઈન બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 90 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.