Menu
તળાજા:ખંઢેરા ગામમાં રાત્રે ઘેટાંનો શિકાર કરવા ત્રાટકેલા સિંહ નો માલધારી ઉપર હુમલો
તળાજા:ખંઢેરા ગામમાં રાત્રે ઘેટાંનો શિકાર કરવા ત્રાટકેલા સિંહ નો માલધારી ઉપર હુમલો
Published on: 22nd June, 2025

બૃહદગીર વિસ્તારમાં તળાજા પંથકમાં સિંહની વસ્તી અને વિચરણ વધી રહ્યું છે. ખાસ કરીને મેથળાના દરિયા કિનારે થી કાંટાના જંગલમાં વર્ષોથી સિંહ પરિવાર રહે છે. હાલમાં યુવા બે સિંહ આ વિસ્તારમાં વિચરણ કરે છે. ગઈકાલે મધ્ય રાત્રિએ સિંહોએ માલધારી પર હુમલો કરી ત્રણ ઘેટાંનું મારણ કર્યું અને આ તળાજા પંથકમાં માનવ પર સિંહના પ્રથમ હુમલાનો મામલો છે. નાગજીભાઈ જુંજાએ તળાજા સરકારી હોસ્પિટલમાં જણાવ્યું કે રાત્રે સિંહે હુમલો કર્યો હતો. વન વિભાગ દ્વારા માલધારી અને ખેડૂતોની સુરક્ષાના પગલાં લેવા કાર્યવાહી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.