નિરંતર સેવાપરાયણ રવિશંકર મહારાજ.
નિરંતર સેવાપરાયણ રવિશંકર મહારાજ.
Published on: 27th May, 2026

વિનોબા ભાવેના શબ્દોમાં, રવિશંકર મહારાજનો પ્રભાવ અમર છે. તેઓ નિરંતર સેવાપરાયણ, નિઃસ્પૃહ, ભક્તિપરાયણ અને બધા પ્રત્યે સમભાવ ધરાવતા હતા. ગાંધીજી પછી, પ્રેમ, બંધુતા અને માનવતાથી સમાજ સેવામાં પ્રવૃત્ત રહેનાર તેઓ ગુજરાતના જાગૃત, અડીખમ સેવક અને રખેવાળ હતા. તેઓ પોતે જ એક સંસ્થારૂપ હતા, જે માનવજાત અને પ્રાણી માત્રની સેવા કરતી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બન્યા. વ્યસન મુક્તિના હિમાયતી અને જીવન ઘડતરના ઘડવૈયા તરીકે તેઓ અનોખા હતા.