
મુન્દ્રા નજીક ભંગારના વાડામાં ભીષણ આગ:જ્વાળાઓ 5થી 6 કિલોમીટર દૂર સુધી દેખાઈ, ફાયર વિભાગે વહેલી સવારે આગ પર કાબૂ મેળવ્યો
Published on: 15th June, 2025
મુન્દ્રા નજીક ભુપેન્દ્રસિંહ ભગવતસિંહ પરમાર (ભગુભા) ની વાડીમાં આવેલા ભંગારના વાડામાં મધરાતે આગ લાગી હતી. રાત્રે 12 વાગ્યે લાગેલી આગ સવારના 8 વાગ્યા સુધી સળગતી રહી હતી. આગની જ્વાળાઓ 5 થી 6 કિલોમીટર દૂર સુધી દેખાતી હતી. આગ સમગ્ર ભંગાર સામગ્રીમાં ફેલાઈ ગઈ હતી. અદાણી કંપનીના ફાયર વિભાગે રાતભર જહેમત ઉઠાવીને આગને કાબૂમાં લીધી હતી. સ્થાનિક તપાસમાં આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે, મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઘટનાસ્થળે લોકોની ભીડ જામી હતી. સ્થાનિક પોલીસે લોકોને આગથી દૂર રહેવાની સૂચના આપી હતી.
મુન્દ્રા નજીક ભંગારના વાડામાં ભીષણ આગ:જ્વાળાઓ 5થી 6 કિલોમીટર દૂર સુધી દેખાઈ, ફાયર વિભાગે વહેલી સવારે આગ પર કાબૂ મેળવ્યો

મુન્દ્રા નજીક ભુપેન્દ્રસિંહ ભગવતસિંહ પરમાર (ભગુભા) ની વાડીમાં આવેલા ભંગારના વાડામાં મધરાતે આગ લાગી હતી. રાત્રે 12 વાગ્યે લાગેલી આગ સવારના 8 વાગ્યા સુધી સળગતી રહી હતી. આગની જ્વાળાઓ 5 થી 6 કિલોમીટર દૂર સુધી દેખાતી હતી. આગ સમગ્ર ભંગાર સામગ્રીમાં ફેલાઈ ગઈ હતી. અદાણી કંપનીના ફાયર વિભાગે રાતભર જહેમત ઉઠાવીને આગને કાબૂમાં લીધી હતી. સ્થાનિક તપાસમાં આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે, મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઘટનાસ્થળે લોકોની ભીડ જામી હતી. સ્થાનિક પોલીસે લોકોને આગથી દૂર રહેવાની સૂચના આપી હતી.
Published at: June 15, 2025
Read More at દિવ્ય ભાસ્કર