Menu
મુન્દ્રા નજીક ભંગારના વાડામાં ભીષણ આગ:જ્વાળાઓ 5થી 6 કિલોમીટર દૂર સુધી દેખાઈ, ફાયર વિભાગે વહેલી સવારે આગ પર કાબૂ મેળવ્યો
મુન્દ્રા નજીક ભંગારના વાડામાં ભીષણ આગ:જ્વાળાઓ 5થી 6 કિલોમીટર દૂર સુધી દેખાઈ, ફાયર વિભાગે વહેલી સવારે આગ પર કાબૂ મેળવ્યો
Published on: 15th June, 2025

મુન્દ્રા નજીક ભુપેન્દ્રસિંહ ભગવતસિંહ પરમાર (ભગુભા) ની વાડીમાં આવેલા ભંગારના વાડામાં મધરાતે આગ લાગી હતી. રાત્રે 12 વાગ્યે લાગેલી આગ સવારના 8 વાગ્યા સુધી સળગતી રહી હતી. આગની જ્વાળાઓ 5 થી 6 કિલોમીટર દૂર સુધી દેખાતી હતી. આગ સમગ્ર ભંગાર સામગ્રીમાં ફેલાઈ ગઈ હતી. અદાણી કંપનીના ફાયર વિભાગે રાતભર જહેમત ઉઠાવીને આગને કાબૂમાં લીધી હતી. સ્થાનિક તપાસમાં આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે, મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઘટનાસ્થળે લોકોની ભીડ જામી હતી. સ્થાનિક પોલીસે લોકોને આગથી દૂર રહેવાની સૂચના આપી હતી.