Menu
જુનાગઢ સુખનાથ ચોકમાં દબાણ હટાવ કામગીરી, ટ્રાફિક સમસ્યા હળવી બનશે
જુનાગઢ સુખનાથ ચોકમાં દબાણ હટાવ કામગીરી, ટ્રાફિક સમસ્યા હળવી બનશે
Published on: 10th June, 2025

જૂનાગઢ મહાનગરપાલિકાએ સુખનાથ ચોક વિસ્તારમાં ગેરકાયદેસર પાનની દુકાન અને જર્જરિત અવેડો તોડી દબાણ હટાવ કાર્ય પૂર્ણ કર્યું છે. દુકાન માલિકને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દબાણ દૂર ન થતાં પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી. આ કામગીરી શાંતિપૂર્ણ રીતે જરૂરી મશીનરી ઉપયોગ કરીને પૂર્ણ થઈ છે. વર્ષોથી જાહેર માર્ગ અને ફૂટપાથ પર દબાણથી વાહનવ્યવહાર મુશ્કેલ બનતો હતો, હવે તે સમસ્યા હળવી થશે. મહાનગરપાલિકા ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલાં લેશે અને અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવ કાર્ય કરશે.