આસારામને ગેંગરેપના આરોપમાંથી મુક્તિ, પણ આજીવન કેદની સજા યથાવત્.
આસારામને ગેંગરેપના આરોપમાંથી મુક્તિ, પણ આજીવન કેદની સજા યથાવત્.
Published on: 27th May, 2026

રાજસ્થાન હાઈકોર્ટે જોધપુર આશ્રમમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આસારામની આજીવન કેદની સજા યથાવત્ રાખી છે. કોર્ટે તેમને ગેંગરેપ (સામૂહિક દુષ્કર્મ)ના આરોપમાંથી મુક્ત કર્યા છે, કારણ કે પુરાવા મુજબ તે ગુનો સાબિત થતો નથી. જોકે, અન્ય ગંભીર કલમો હેઠળના ગુનાઓમાં તેમની સજા અકબંધ રહેતા તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. અન્ય આરોપી શિલ્પી અને શરતચંદને સજામાં આંશિક રાહત મળી છે. વર્ષ 2013માં નોંધાયેલા આ કેસમાં 2018માં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.