ખાતરની કાળાબજારી રોકવા તપાસ-નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક
ખાતરની કાળાબજારી રોકવા તપાસ-નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક
Published on: 06th August, 2026

રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં, વ્યાજબી ભાવે અને પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. આ માટે સબસિડાઈઝડ ખાતરના વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા વિશેષ તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂંક કરાઈ છે. તેઓ ટોપ યુરિયા ડીલર્સની ચકાસણી કરશે, POS મશીનના આંકડા અને ફિઝિકલ સ્ટોકની સચોટ તપાસ કરશે, અને ફરજિયાત ટેગિંગ જેવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરશે.