Menu
ગુજરાતના 27 અભયારણ્ય બંધ: ઘૂડખર અભયારણ્ય સહિત તમામ અભયારણ્ય 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે
ગુજરાતના 27 અભયારણ્ય બંધ: ઘૂડખર અભયારણ્ય સહિત તમામ અભયારણ્ય 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે
Published on: 12th June, 2025

કચ્છના રણમાં આવેલા ઘૂડખર અભયારણ્ય સહિત ગુજરાતના તમામ 27 અભયારણ્યમાં 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવેશબંધી રહેશે, કારણ કે આ સમય વન્યજીવોના સંવર્ધનકાળનો છે. 1973માં ઘૂડખર માટે 4954 ચોરસ કિલોમીટર વિસ્તાર ઘૂડખર અભયારણ્ય તરીકે જાહેર થયો હતો. ત્યાં 7672 ઘૂડખર નોંધાયા છે જે 70 કિમી/કલાક ઝડપે દોડે છે અને 1થી 50 ડિગ્રી સેલ્સિયસમાં જીવે છે. ચોમાસા દરમિયાન પ્રજનનકાળ હોવાથી મીઠું પકવતા અગરિયાઓ, કામદાર અને પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ રહેશે. નિયમ ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ વન્ય સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી થશે.