Menu
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વેરાવળનું દંપતી પણ સામેલ: BSNLના પૂર્વ કર્મચારી રાજુભાઈ અને પત્ની ભાવનાબેન લંડન સંતાનોને મળવા જતાં હતાં
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વેરાવળનું દંપતી પણ સામેલ: BSNLના પૂર્વ કર્મચારી રાજુભાઈ અને પત્ની ભાવનાબેન લંડન સંતાનોને મળવા જતાં હતાં
Published on: 12th June, 2025

આજે બપોરે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયા ફ્લાઈટ દુર્ઘટના ગ્રસ્ત બની છે, જેમાં વેરાવળના દંપતી રાજુભાઈ જીમુલીયા અને પત્ની ભાવનાબેન સવાર હતા. તેઓ પોતાના પુત્રને મળવા લંડન જઈ રહ્યા હતા. રાજુભાઈ, જે BSNLના પૂર્વ કર્મચારી છે, અને તેમના પત્ની આ દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરોની યાદીમાં તેમનું નામ સમાવિષ્ટ જોવા મળ્યું છે. આ સમાચારથી વેરાવળમાં પરિવારજનો અને સ્થાનિક લોકો ચિંતિત થઈ ગયા છે અને દંપતીની સલામતી માટે આશંકિત છે.