અમદાવાદની નર્મદા કેનાલમાંથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળ્યા
અમદાવાદની નર્મદા કેનાલમાંથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળ્યા
Published on: 05th July, 2026

અમદાવાદની બહારથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળ્યા છે. જમીયતપુરા અને ખોરજ ગામની સીમમાંથી મૃતદેહો મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક રાહદારીઓની સૂચના બાદ પોલીસે તરવૈયાઓની મદદથી મૃતદેહો બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ દિવસમાં બે યુવકોની લાશ મળવાના કારણે વિસ્તારમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ ઘટના અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.