‘મિર્ઝાપુર’ અભિનેત્રી અનંગ્શા બિસ્વાસને મળ્યા ગંદા મેસેજ
‘મિર્ઝાપુર’ અભિનેત્રી અનંગ્શા બિસ્વાસને મળ્યા ગંદા મેસેજ
Published on: 23rd August, 2026

લોકપ્રિય વેબ સીરિઝ 'મિર્ઝાપુર'માં ઝરીનાનું પાત્ર ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી અનંગ્શા બિસ્વાસે પોતાના અનુભવો શેર કર્યા છે. 'મિર્ઝાપુર' સિઝન 1 પછી તેને ઘણા આઘાતજનક મેઇલ અને કોમેન્ટ્સ મળ્યા. લોકોએ તેની ઓન-સ્ક્રીન ઇમેજ જોઈ ખોટી ધારણા બાંધી લીધી. સોશિયલ મીડિયા પર તેને 'એક રાતના કેટલા લેશો?' અને 'બે દિવસ માટે મોરિશિયસ ફરવા આવો' જેવા ગંદા મેસેજ આવતા હતા. આનાથી તે ખૂબ જ તણાવમાં આવી ગઈ હતી. અનંગ્શા એ સ્પષ્ટ કર્યું કે કલાકારનું પડદા પરનું પાત્ર તેનું વાસ્તવિક વ્યક્તિત્વ નથી હોતું.