સનીએ મુસ્લિમનું પાત્ર ભજવ્યું તેનાથી અનેકને આઘાતઃ રાજકુમાર સંતોષી
સનીએ મુસ્લિમનું પાત્ર ભજવ્યું તેનાથી અનેકને આઘાતઃ રાજકુમાર સંતોષી
Published on: 22nd August, 2026

ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીએ કબૂલ્યું છે કે 'બટવારા ૧૯૪૭'માં સની દેઓલ દ્વારા મુસ્લિમ પાત્ર ભજવવું ઘણા લોકો માટે આઘાતજનક હતું. વિવિધ ધર્મના નેતાઓ માટે આયોજિત ખાસ શો બાદ, સંતોષીએ જણાવ્યું કે ફિલ્મના વખાણ થયા અને તેમને સંતોષ થયો. પાકિસ્તાની કે મુસ્લિમ હીરો ન મળતાં સની દેઓલને પસંદગીનું કારણ સમજાવતાં કહ્યું કે તેઓ સંદેશ આપવા માટે યોગ્ય હતા. બોક્સ ઓફિસ પર દેખાવ નિરાશાજનક રહ્યો હોવા છતાં, દર્શકોના વખાણથી સંતોષીને પ્રોત્સાહન મળ્યું છે.