શિલ્પા શિરોડકર ૨૬ વર્ષ બાદ બોલિવુડમાં પુનરાગમન
શિલ્પા શિરોડકર ૨૬ વર્ષ બાદ બોલિવુડમાં પુનરાગમન
Published on: 13th August, 2026

અભિનેત્રી શિલ્પા શિરોડકર ૨૬ વર્ષના લાંબા અંતરાલ બાદ બોલિવુડમાં પુનરાગમન કરવા જઈ રહી છે. તેની પસંદગી 'માલામાલ વીકલી ટુ' ફિલ્મ માટે થઈ છે. આ ફિલ્મમાં તે રવિના ટંડન અને પરિણીતિ ચોપરા જેવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરશે. શિલ્પા છેલ્લે ૨૦૦૦ની સાલમાં 'ગજગામિની' ફિલ્મમાં જોવા મળી હતી. 'માલામાલ વીકલી ટુ'નું દિગ્દર્શન અમિત જોશી કરશે. ફિલ્મની વાર્તા ગામડાના લોકો મોટી રકમ મેળવવાની લાલચમાં શું કરી શકે છે તેના પર આધારિત છે.