સારા અર્જુન મધુબાલાની બાયોપિકમાં મુખ્ય રોલ ભજવવા તૈયારીમાં
સારા અર્જુન મધુબાલાની બાયોપિકમાં મુખ્ય રોલ ભજવવા તૈયારીમાં
Published on: 24th August, 2026

સંજય લીલા ભણસાલી 'લવ એન્ડ વોર' પછી લોકપ્રિય અભિનેત્રી મધુબાલા પર બાયોપિક બનાવશે. 'ડાર્લિંગ્સ'ના દિગ્દર્શક જસમીત કે. રીન આ પ્રોજેક્ટનું દિગ્દર્શન કરશે, જ્યારે 'ધુરંધર'ની અભિનેત્રી સારા અર્જુન મધુબાલાનો iconic રોલ ભજવશે. આ રોલ સારાની કારકિર્દીનું મોટુ સીમાચિહ્ન બનશે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં મુંબઈના ગોરેગાંવમાં શરૂ થશે. જસમીત મધુબાલાના વર્તન અને વ્યક્તિત્વને વાસ્તવિક રીતે દર્શાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.