પ્રજ્ઞાચક્ષુ ગાયકો દ્વારા કૃષ્ણ કનેક્શન સ્વરસંધ્યા રજૂ કરાયું
પ્રજ્ઞાચક્ષુ ગાયકો દ્વારા કૃષ્ણ કનેક્શન સ્વરસંધ્યા રજૂ કરાયું
Published on: 06th September, 2026

ગ્લૉબલ ગુજરાતી ફેડરેશન દ્વારા અમદાવાદના સોલા સ્થિત શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે 'કૃષ્ણ કનેક્શન' નામની એક ભક્તિમય સ્વરસંધ્યાનું આયોજન થયું. પ્રજ્ઞાચક્ષુ ગાયકોએ પોતાના સૂરીલા કંઠે ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત ગીતો અને ભજનોની મધુર રજૂઆત કરી. આ ભાવસભર કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ગ્લૉબલ ગુજરાતી ફેડરેશનના સ્થાપક રમેશ તન્નાએ જણાવ્યું કે આ કાર્યક્રમ, વિશ્વના 129 દેશોમાં વસતા ગુજરાતીઓને સાંકળતી ભવિષ્યમાં યોજાનારી ગ્લૉબલ ગુજરાતી કોન્ફરન્સની પૂર્વભૂમિકાનો એક ભાગ છે.