ગોવિંદા અને સુનીતાના 37 વર્ષના લગ્ન બચી ગયા!
ગોવિંદા અને સુનીતાના 37 વર્ષના લગ્ન બચી ગયા!
Published on: 20th August, 2026

બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતાના લગ્નજીવનમાં ચાલી રહેલા છૂટાછેડાના વિવાદનો અંત આવ્યો છે. સુનીતાએ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. ગોવિંદાના મેનેજરે આ સમાચારોની પુષ્ટિ કરતાં જણાવ્યું કે હવે બંને વચ્ચે બધું થાળે પડી ગયું છે. સુનીતા તેમના પુત્ર યશવર્ધન આહુજા સાથે કોર્ટ પહોંચ્યા હતા. મેનેજરના જણાવ્યા મુજબ, સુનીતાજીને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે ઘરે વાપસી કરી છે. આ પારિવારિક મામલો સાર્વજનિક થયો તેનું દુઃખ વ્યક્ત કર્યું.