ગીતા રબારી કોરા કેન્દ્રમાં ભક્તિ અને ગરબા સાથે યુવા પેઢીને જોડશે
ગીતા રબારી કોરા કેન્દ્રમાં ભક્તિ અને ગરબા સાથે યુવા પેઢીને જોડશે
Published on: 06th September, 2026

બોરીવલીના કોરા કેન્દ્ર ગ્રાઉન્ડમાં ‘કચ્છી કોયલ’ ગીતા રબારી બીજા વર્ષે નવ દિવસીય નવરાત્રી મહોત્સવમાં મુખ્ય આકર્ષણ રહેશે. ‘ઓક્સફર્ડ પ્રસ્તુત, સુરભી ગ્રુપ શોગ્લિટ્ઝ નવરાત્રી 2026’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને પરંપરાગત ગરબા સાથે જોડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પરંપરાગત ગરબાની ભાવના સાથે આધુનિક સંગીતનો સમન્વય કરીને રસિકોને મંત્રમુગ્ધ કરવામાં આવશે. વિશાળ વૂડન ફ્લોર, સુરક્ષિત વાતાવરણ, પાર્કિંગ, 400થી વધુ સુરક્ષા કર્મચારીઓ અને 200 વોલન્ટિયર્સની વ્યવસ્થા કરાઈ છે. ગીતા રબારીએ ભક્તિ અને ઊર્જાના નવા સ્તરનો વિશ્વાસ વ્યક્ત કર્યો.