વિજયનગર અને ભિલોડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
વિજયનગર અને ભિલોડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
Published on: 10th August, 2026

વિજયનગર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વિજયનગરમાં વિવિધ આદિવાસી વિસ્તારોમાં સભાઓ અને રેલી યોજાઈ, જ્યારે ભિલોડામાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવક-યુવતીઓએ શોભાયાત્રા કાઢી. આ શોભાયાત્રામાં આદિવાસીઓના હકો, અનામત, જળ, જંગલ, જમીન બચાવોના સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન થયું. ડીજેના તાલે થયેલી આ ગૌરવ યાત્રામાં આદિવાસી નૃત્યોએ વાતાવરણને જીવંત બનાવ્યું. મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિ પૂજન, પર્યાવરણ બચાવ અને આદિવાસી સંસ્કૃતિના વારસાને જાળવવાનો હતો.