રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે 'એલાન-એ-જંગ': 'ડોન-થ્રી'ને લઈને વિવાદ.
રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે 'એલાન-એ-જંગ': 'ડોન-થ્રી'ને લઈને વિવાદ.
Published on: 27th February, 2026

ફરહાન અખ્તરે ડિરેક્ટ કરેલી 'ડોન-૨' હિટ થઈ એટલે સૌએ માની લીધું કે હવે 'ડોન-3'માં પણ શાહરૂખ ખાન જ હશે. એમ ન થયું. પછી બ્રાન્ડ-ન્યુ ડોન તરીકે રણવીર સિંહનું નક્કી થયું. રીતસર પોસ્ટરો-બોસ્ટરો બન્યાં. ત્યાં 'ધુરંધર' નામની આંધી આવી. આ જ કારણ હોય કે બીજું કંઈ એ તો સિનેમાદેવ જાણે, પણ રણવીર હવે 'ડોન-થ્રી'માંથી આઉટ થઈ ગયો. પ્રોડયુસરો અને હીરો વચ્ચે ખાસ્સા ઝઘડા થયા. નિર્માતાઓ કહે કે અમે 'ડોન-3'ની તૈયારીમાં જ ૪૦ કરોડ રૂપિયાનું આંધણ કરી નાખ્યું એનું શું? રણવીર કહે, એનું કંઈ નહીં, મારે એની સાથે કંઈ લેવાદેવા નહીં.