સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીઓને કચડ્યાં, 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત.
સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીઓને કચડ્યાં, 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત.
Published on: 13th April, 2026

ગુજરાતના હાઈવે પર અકસ્માતો યથાવત છે. લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 7 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માત લખતરના ભાસ્કરપરા નજીક થયો હતો. અકસ્માતમાં ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે માતમ છવાયો છે.