રામ મંદિરમાં ચોરી નહીં, 'લૂંટ' થઇ છે: નૃપેન્દ્ર મિશ્રાના નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી
રામ મંદિરમાં ચોરી નહીં, 'લૂંટ' થઇ છે: નૃપેન્દ્ર મિશ્રાના નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી
Published on: 21st June, 2026

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓના ચઢાવાની ચોરીના મામલે નવા વળાંકમાં, રામ મંદિર ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ તેને 'લૂંટ' ગણાવી છે. તેમના આકરા નિવેદન બાદ રામ મંદિર ટ્રસ્ટમાં ખળભળાટ મચી ગયો છે. CCTV ફૂટેજમાં કર્મચારીઓ નોટોની થપ્પીઓમાંથી રકમ કાઢીને પોતાના ખિસ્સામાં મૂકતા કેદ થયા છે, જે મોટી નિષ્ફળતા દર્શાવે છે. 45 દિવસ સિવાયના ફૂટેજ ગાયબ છે. આ ખુલાસા બાદ સુરક્ષા, મોનિટરિંગ અને નાણાં ગણતરીની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠ્યા છે.