રાજપીપળામાં 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજી મંદિરમાં ચોરી
રાજપીપળામાં 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજી મંદિરમાં ચોરી
Published on: 21st July, 2026

નર્મદા જિલ્લાના રાજપીપળામાં 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજી મંદિરમાં ચોરીની ઘટના બની છે. મોડી રાત્રે એક અજાણ્યો શખસ મંદિરમાં પ્રવેશ્યો અને દાનપેટી તોડી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ભક્તોએ મંદિર પરિસરમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે અને કાયમી સુરક્ષા ગાર્ડ તથા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.