૧૦ લોકોના મોત બાદ લાયસન્સ વિના ધમધમતી ફટાકડા ફેક્ટરીઓ પર તંત્રની મોટી કાર્યવાહી.
૧૦ લોકોના મોત બાદ લાયસન્સ વિના ધમધમતી ફટાકડા ફેક્ટરીઓ પર તંત્રની મોટી કાર્યવાહી.
Published on: 21st July, 2026

અમદાવાદના રામોલ નજીક મહમદપુરામાં થયેલા ભયાનક ફટાકડા બ્લાસ્ટમાં 10 લોકોના મોત બાદ તંત્રએ હવે કડક પગલાં લીધાં છે. રથયાત્રાની આસપાસ ગેરકાયદે રીતે ફરી શરૂ કરાયેલી આ ફેક્ટરીઓ તોડી પાડવામાં આવી છે. ભૂતકાળમાં લાયસન્સ 31 માર્ચ 2026 સુધી માન્ય હતા, ત્યારબાદ કામગીરી બંધ કરવા સૂચના અપાઈ હતી. જમીન માલિકોએ જાતે જ ફેક્ટરીઓ તોડી પાડવાનો નિર્ણય લીધો છે. AMC અને પોલીસની સંયુક્ત કાર્યવાહી, ફાયર બ્રિગેડે સહયોગ આપ્યો. લાયસન્સ વિના કે માર્ગદર્શિકાનો ભંગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહીની ચેતવણી.