પાટણમાં મીઠાધરવા ગામની સગીરાનું એસીડ પીવાથી મોત
પાટણમાં મીઠાધરવા ગામની સગીરાનું એસીડ પીવાથી મોત
Published on: 12th July, 2026

ચાણસ્મા તાલુકાના મીઠાધરવા ગામમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં ૧૮ વર્ષીય પલક પ્રહલાદભાઈ રાવળ નામની સગીરાએ અગમ્ય કારણોસર ઘરમાં રહેલું એસીડ અથવા ફ્નિાઈલ જેવું પ્રવાહી પી લીધું હતું. આ ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યે તેનું મોત નિપજ્યું. મૃતક યુવતિની માતા લક્ષ્મીબેને ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતે મોતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.