ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નીરજા ગુપ્તા સામે પૂર્વ જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચાઈ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નીરજા ગુપ્તા સામે પૂર્વ જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચાઈ
Published on: 29th August, 2026

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ભરતી કૌભાંડ અને PMJVK ફ્રોડના આરોપોની તપાસ માટે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સભ્યની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. પૂર્વ VCના કાર્યકાળ દરમિયાન થયેલી અનિયમિત નિમણૂકો, ભંડોળનો દુરુપયોગ, સત્તાનો દુરુપયોગ અને PMJVK ગ્રાન્ટ્સમાં ગેરરીતિ જેવા મુદ્દાઓની તપાસ આ કમિટી દ્વારા કરવામાં આવશે. આ કમિટી 3 મહિનામાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. આરોપો મુજબ, UGCના નિયમોની અવગણના કરીને મળતિયાઓને ઉચ્ચ પદો પર ગોઠવી દેવાયા હતા અને PMJVK ગ્રાન્ટના 40 કરોડ રૂપિયાના દુરુપયોગનો પણ ઘટસ્ફોટ થયો છે.