સિંગર ગુરુ રંધાવાના ફિટનેસ સેન્ટર બહાર અંધાધૂંધ ગોળીબાર, સલમાન ખાન સાથેની મિત્રતા બની કારણ?
સિંગર ગુરુ રંધાવાના ફિટનેસ સેન્ટર બહાર અંધાધૂંધ ગોળીબાર, સલમાન ખાન સાથેની મિત્રતા બની કારણ?
Published on: 11th June, 2026

દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં જાણીતા ગાયક ગુરુ રંધાવાના '24 HS Fitness Gym' બહાર મોટરસાયકલ સવારો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું. આ હુમલામાં જીમના કાચ તૂટ્યા, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના અનિલ પંડિત ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી છે. વાયરલ થયેલા ઓડિયોમાં દાવો કરાયો છે કે ગુરુ રંધાવાની સલમાન ખાન સાથે વધી રહેલી નિકટતા આ હુમલાનું કારણ છે. પોલીસે CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.