ગંદકી અને નબળી ગુણવત્તા બદલ ૧૦ આયુર્વેદિક કંપનીઓના લાઈસન્સ રદ
ગંદકી અને નબળી ગુણવત્તા બદલ ૧૦ આયુર્વેદિક કંપનીઓના લાઈસન્સ રદ
Published on: 12th August, 2026

મહારાષ્ટ્ર રાજ્યમાં હોટલો અને રેસ્ટોરાં બાદ હવે FDA એ આયુર્વેદિક કંપનીઓ પર કડક કાર્યવાહી કરી છે. ગંદકી, લાયકાત વિનાનો સ્ટાફ, અને ક્વોલિટી કન્ટ્રોલના અભાવ જેવા ગંભીર મુદ્દાઓ પર તપાસ બાદ ૧૩૫ ઉત્પાદકોને નોટિસ ફટકારાઈ છે. જ્યારે ૧૦ એકમોના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે. આ એકમોમાં અસ્વચ્છ વાતાવરણ, ટેકનિકલ સ્ટાફનો અભાવ, અને ગુણવત્તા નિયંત્રણની નબળી વ્યવસ્થા જોવા મળી હતી. FDA કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આરોગ્ય સાથે જોડાયેલી દવાઓના ઉત્પાદકોએ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.