બનાસકાંઠાના શાળાના પુસ્તકો પસ્તીમાં વેચવા નીકળ્યાં શિક્ષક
બનાસકાંઠાના શાળાના પુસ્તકો પસ્તીમાં વેચવા નીકળ્યાં શિક્ષક
Published on: 19th June, 2026

બનાસકાંઠાના દિયોદર પાસે એક સરકારી શાળાના શિક્ષક દ્વારા પાઠ્ય પુસ્તકો પસ્તીના ભાવે વેચવામાં આવી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. સ્થાનિક નાગરિકે ભંગારના ગોડાઉનમાં શિક્ષકને પુસ્તકો વેચતા જોઈ વીડિયો બનાવ્યો હતો. જોકે, શાળાના આચાર્યે SMCના ઠરાવ મુજબ પુસ્તકોનો નિકાલ કર્યાનો દાવો કર્યો છે, જેમાં વરસાદથી પુસ્તકો ખરાબ થવાનો અને જીવજંતુનો ભય ટાળવાનો ઉલ્લેખ છે.