ભાવનગર નજીક ઠાડચ ગામ પાસે કાર પરિવાર પર રોડ રેજ બાદ પથ્થરમારો
ભાવનગર નજીક ઠાડચ ગામ પાસે કાર પરિવાર પર રોડ રેજ બાદ પથ્થરમારો
Published on: 30th August, 2026

ભાવનગર નજીક પાલિતાણાના ઠાડચ ગામ પાસે કારમાં જઈ રહેલા પરિવાર પર રોડ રેજની ઘટના બાદ ૧૧ શખ્સોએ પથ્થરમારો કર્યો. કારના સાઈડ ગ્લાસ તુટી જવા મુદ્દે સર્જાયેલી માથાકૂટમાં આ હુમલો થયો. જેમાં કારને ભારે નુકસાન થયું અને પરિવારના ચાર સભ્યોને નાની મોટી ઈજા પહોંચી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.