ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો ધોલેરા પહોંચ્યો
ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો ધોલેરા પહોંચ્યો
Published on: 20th August, 2026

ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. ધોલેરાના પિંગલેશ્વર નજીક મિંગળપૂર ગામ ખાતેથી શંકાસ્પદ દારૂની 24 બોટલો ઝડપાઈ છે. પ્રાથમિક તપાસમાં આ બોટલો ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જનાર દારૂની બોટલોની જ બેચની હોવાની આશંકા છે. આ જ બેચનો ઝેરી દારૂ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચી ગયો હોવાની શંકા છે. પોલીસે તમામ બોટલો FSL ખાતે મોકલી આપી છે. FSL રિપોર્ટ બાદ નકલી દારૂના નેટવર્ક અંગે સ્પષ્ટતા થશે.