Menu
જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસે મનરોગી બાળકીને પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું
જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસે મનરોગી બાળકીને પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું
Published on: 10th June, 2025

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી એક મનદિવ્યાંગ બાળકી તેના પરિવારથી વિખુટી ગઈ હતી અને પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે તે શોધવામાં મોટી સફળતા મેળવી. તે બાળકી માનસિક રીતે અસ્થિર હોવાને કારણે પોતાનું નામ કે રહેઠાણ કહી શકતી નહોતી, પરંતુ પોલીસ સ્ટાફે મોડી રાત સુધી મહેનત કરી અને તેના પરિવારજનોને શોધી કાઢ્યા. બાળકીને પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું જેના કારણે પરિવારજનો ખૂબ ખુશ થયા અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો.