Menu
ગુજરાતમાં કોરોનાના કેસ 1100ને પાર, રાજકોટમાં 55 વર્ષીય દર્દીનું મોત
ગુજરાતમાં કોરોનાના કેસ 1100ને પાર, રાજકોટમાં 55 વર્ષીય દર્દીનું મોત
Published on: 10th June, 2025

ગુજરાતમાં કોરોના સંક્રમણ ફરીથી વધ્યું છે અને કુલ કેસોની સંખ્યા ૧૧૦૦ પર પહોંચી ગઈ છે. હાલમાં રાજકોટમાં પહોંચેલા 55 વર્ષીય દર્દીનું કોરોનાથી મોત થયું છે. સોમવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. ચાર દિવસથી દર્દીને કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યા હતા અને તેઓ ડાયાબિટીસ સહિત અન્ય રોગોથી પણ પીડાતા હતા. રાજ્યમાં કોરોના કેસોમાં વધારો અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.