Menu
અમેરિકા-ચીનના ટેરિફ ઘટાડાથી ભારતના નિકાસકારોને તકો અને પડકારો
અમેરિકા-ચીનના ટેરિફ ઘટાડાથી ભારતના નિકાસકારોને તકો અને પડકારો
Published on: 13th May, 2025

અમેરિકા અને ચીન દ્વારા ટેરિફમાં ૯૦ દિવસ માટે કરાયેલ રેસિપ્રોકલ ઘટાડા સાથે ભારતના નિકાસકારોને નવા તકો તેમજ પડકારો ઉભા થશે. વૈશ્વિક વેપારમાં આ પ્રકારની સ્થિતિ સ્થિરતા માટે હકારાત્મક માનવામાં આવે છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનના સૂત્રોનો એવો દાવો છે કે આ ફેરફારથી ઈલેક્ટ્રોનિક, મશીનરી અને કેમિકલ્સ જેવા ઉચ્ચ મૂલ્યના માલસામાનના દ્વિપક્ષી વેપારમાં વધારો થવાની શક્યતા છે. આથી, ભારત માટે આ ફેરફાર એક નવી સંભાવના અને નવી પડકારો લાવી શકે છે.