GST બાદ પણ વેપારીઓ પર ડબલ ટેક્સ અને ભ્રષ્ટાચારનો બોજ
GST બાદ પણ વેપારીઓ પર ડબલ ટેક્સ અને ભ્રષ્ટાચારનો બોજ
Published on: 02nd June, 2026

GST લાગુ થયા બાદ 'એક દેશ, એક કાયદો'ની આશા રાખતા વેપારીઓ હાલ મહારાષ્ટ્રમાં AMC Marketના મેન્ટેનન્સ અને યુઝર ચાર્જ જેવા વધારાના વેરાઓથી પરેશાન છે. વેપારીઓનો આરોપ છે કે, અગાઉ ઓક્ટ્રોય જેવી વસૂલાતો રદ કરાઈ હતી, પરંતુ હવે આ નવા બોજને કારણે વેપાર અન્ય રાજ્યો તરફ વળી રહ્યો છે. કરોડોના ભ્રષ્ટાચાર અને જૂના કાયદાઓથી કંટાળેલા વેપારીઓએ સરકાર સમક્ષ સમાન વેપાર નીતિની માંગ કરી છે, નહીંતર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.