નવી મુંબઈના વાશી APMCના પુનઃનિર્માણની વેપારીઓની સરકાર પાસે આશા
નવી મુંબઈના વાશી APMCના પુનઃનિર્માણની વેપારીઓની સરકાર પાસે આશા
Published on: 20th June, 2026

નવી મુંબઈના વાશી APMC સંકુલની પાંચ મુખ્ય માર્કેટોના પુનઃનિર્માણનો પ્રશ્ન વર્ષોથી પડતર છે. આશરે 10,000 લાઈસન્સધારક વેપારીઓ જર્જરિત ઇમારતો અને કીમતી જમીન પર બિલ્ડર લોબીની નજર હોવાને કારણે મુશ્કેલીમાં છે. વાશી મહાપાલિકાએ અનેક વખત સી-1 શ્રેણીની જોખમી ઇમારતો અંગે નોટિસો પાઠવી છે. તાજેતરમાં, રાજ્ય સરકારે આ બજારને રાષ્ટ્રીય બજાર તરીકે માન્યતા આપી છે, જેની જવાબદારી મંત્રી જયકુમાર રાવળને સોંપાઈ છે. કેન્દ્ર, રાજ્ય અને મહાપાલિકામાં મહાયુતિ સરકાર હોવાથી, વેપારીઓને વિશ્વસ્તરીય આધુનિક બજાર સંકુલના વિકાસની મોટી અપેક્ષા છે.