ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો, 2030 સુધી 26,000 સુધી પહોંચવાનો અંદાજ
ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો, 2030 સુધી 26,000 સુધી પહોંચવાનો અંદાજ
Published on: 21st June, 2026

ભારત અત્યારે આર્થિક વિકાસના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં અબજોપતિઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. 'ધ ઇન્ડિયન ફેમિલી ઓફિસ રિપોર્ટ 2026' અનુસાર, $30 મિલિયન (આશરે રૂ. 280 કરોડ) થી વધુ સંપત્તિ ધરાવતા પરિવારોની સંખ્યા 2025 માં 16,000 હતી, જે 2030 સુધીમાં વધીને લગભગ 26,000 થવાની ધારણા છે. અલ્ટ્રા-હાઇ-નેટ-વર્થ લોકોની યાદીમાં નવા સભ્યો ઉમેરવામાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આગામી દાયકામાં $1.3 થી $1.5 ટ્રિલિયન સંપત્તિની ફેરબદલી જોવા મળશે.