RBI મોંઘવારી વધારશે: યુદ્ધ, અલ નીનોના કારણે મધ્યમ વર્ગ પર અસર, રેપો રેટ યથાવત
RBI મોંઘવારી વધારશે: યુદ્ધ, અલ નીનોના કારણે મધ્યમ વર્ગ પર અસર, રેપો રેટ યથાવત
Published on: 05th June, 2026

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ફુગાવાનો અંદાજ 5.1% કર્યો છે, જે સામાન્ય માણસની ચિંતા વધારશે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અવરોધો અને અલ નીનોના કારણે ચોમાસાની અનિશ્ચિતતા મુખ્ય કારણો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે FY27 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન (CPI) નો અંદાજ 4.6% થી વધારીને 5.1% કરવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ, ઊર્જાના વધતા ભાવ અને વૈશ્વિક આર્થિક સ્થિતિ બગડવાથી ફુગાવા પર અસર થશે. રેપો રેટ 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે.