તાલાલા ગીરથી આવકમાં ઘટાડો થતા કેસર કેરીના ભાવ ઉંચા રહ્યા
તાલાલા ગીરથી આવકમાં ઘટાડો થતા કેસર કેરીના ભાવ ઉંચા રહ્યા
Published on: 29th May, 2026

કેસર કેરીની સીઝનના પ્રારંભે ભાવનગર શહેરમાં તાલાલા ગીરથી નીયમીતપણે ૪૦ થી ૫૦ પીકઅપ વાન ભરીને કેસર કેરીનો જથ્થો આવતો હતો. જેમાં પેટ્રોલ અને ડિઝલની અછત અને ભાવવધારાના કારણે ધરખમ ઘટાડો થતા હાલ ફકત ૧૦ પીકઅપ વાન ભરીને કેસર કેરી આવી રહી છે. જેથી ભાવનગરમાં હાલ કેસર કેરીના ભાવ ઉંચા જણાઈ રહ્યા છે.