OPEC+ નો ઓઇલ ક્વોટા વધારવાનો નિર્ણય: ભારત પર શું પડશે અસર?
OPEC+ નો ઓઇલ ક્વોટા વધારવાનો નિર્ણય: ભારત પર શું પડશે અસર?
Published on: 07th June, 2026

OPEC Plus મંત્રીઓએ જુલાઈ મહિના માટે ઓઇલ ક્વોટા 1,88,000 બેરલ પ્રતિ દિન વધારવાનો નિર્ણય લીધો છે. જોકે, આ પગલાંથી ક્રૂડ ઓઇલની કિંમતો પર ખાસ ઘટાડો નહીં થાય, કારણ કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભાવો પહેલેથી જ ઊંચા છે. આ નિર્ણય ભારતીય રૂપિયા પર દબાણ વધારશે અને ઓઇલ ઇમ્પોર્ટ બિલ તેમજ ચાલુ ખાતાની ખાધ ઊંચી રહેશે. માલસામાનની હેરફેરનો ખર્ચ ઓછો ન થવાથી મોંઘવારીનો ખતરો યથાવત રહેશે.