UPI પેમેન્ટ પર ચાર્જ અંગે RBI ગવર્નરે આપી સ્પષ્ટતા
UPI પેમેન્ટ પર ચાર્જ અંગે RBI ગવર્નરે આપી સ્પષ્ટતા
Published on: 06th August, 2026

તાજેતરમાં રજૂ થયેલા વિધેયકમાં UPI પેમેન્ટ પર Merchant Discount Rate (MDR) લાગુ કરવાના પ્રસ્તાવને લઈને લોકોમાં ચિંતા છે, ખાસ કરીને 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર ચાર્જ લાગવાની વાતથી. જોકે, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી છે કે હાલ આ અંગે કોઈ અંતિમ નિર્ણય નથી. પેમેન્ટ સિસ્ટમના ખર્ચ અંગે ઉચ્ચ સ્તરીય વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. આ નિયમ મુખ્યત્વે મોટા વેપારીઓ અને સંસ્થાઓ માટે છે, સામાન્ય ગ્રાહકો પર કોઈ બોજ નહીં પડે. દૈનિક વ્યવહારો જેમ કે દૂધ, શાકભાજી, કરિયાણા પર કોઈ અસર નહીં થાય. માત્ર 5% મોટા વ્યવહારો પર જ MDR લાગુ થઈ શકે છે, જે 0.25% થી 0.4% સુધી હોઈ શકે છે.